Month: February 2017

VICHARYATRA FEBRUARY 2017

Click below to download VICHARYATRA   FEBRUARY EDITION :

VICHARYATRA FEBRUARY 2017

front-feb-2017

Special Thanks to : Prakash Suthar & Arti Parikh (https://artiparikh.wordpress.com/)

માતૃભાષા

matrubhasha

“શબ્દોની વાનગીથી જ્યારે આભ ભરાઈ જશે,
દેવતાઓના આગમનથી એ થાળ બની જશે,
એ મહેંકની વર્ષા થશે આભમાંથી,
કાવ્યમય મુક્તક પણ હવે ભાષા બની જશે!”
                       – મૌલિક “વિચાર”

વાણી રણકાર છે

vicharyatra-12_page_04

મૌલિક “વિચાર”વાણી રણકાર છે

વાણી વિકાસ છે વ્યક્તિત્વનો. વાણી અરીસો છે પરમસત્યનો. શુદ્ધ વાણીમાં ચિત્તનો આનંદ છે. મધુર વાણીમાં વ્યકિતત્વની પારદર્શકતા છે. પારંગત વાણી દુશ્મનને પણ અંગત બનાવે છે અને સત્ય વાણી સંબંધનું અમૃત છે. વાણી સંબંધોના દીપ પ્રગટાવે છે અને વાણી જ ઉજાસ છે પરિવારનો. શિષ્ટ વાણી વિકાસની પરોઢ છે. વાણીમાં વિશ્વને જીતવાની લગની છે. હૃદયની વાણી પરમાત્માની વાણી છે. વાણી સનાતન વિશ્વ છે.
નિર્મળ વાણીમાં એકતા છે અને નિર્મળ વાણીથી જ કટિબદ્ધ સમાજના બીજ રોપાય છે. વાણીમાં સામર્થ છે સફળતાનું.
મનની વાણી વિચાર છે, તનની વાણી સ્પર્શ છે અને હૃદયની વાણી સ્નેહ છે.
કાર્યનું પ્રથમ સોપાન વાણી છે પછી તે વર્તનમાં પરિણામે છે.
વાણી આવકાર છે પ્રભુત્વનો, વાણી અહેસાસ છે સ્વત્વનો, વાણી વિશ્વાસ છે વર્ચસ્વનો.
કારણકે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે

મૌલિક “વિચાર”